Saturday, December 31, 2011

તાડકા વધ

જય સિયારામ..

વિશ્વામિત્રજી કુંવરોને લઈને ચાલતા થયા..આશ્રમના માર્ગમાં જતા અનેક વ્યાધિઓ પાર કરવાની હતી.
માર્ગમાં તેઓ બંને ભાઈઓને વ્યાધિઓથી પરિચિત કરાવેછે.
અડાબીડ જંગલો  પસાર કરતા કરતા તેઓ એક વિકટ વનમાં આવી પહોંચ્યાં.
અહી પક્ષીઓનો કલરવ સંભળાતો નથી , પવન તેની મરજી મુજબ સુસવાટા મારી શકતો નથી.
કે પછી કોઈ પણ મુસાફર સામાન્યત: પસાર થઇ શકતો નથી.
આવો બિહામણો વન જોઈ રામજી બોલ્યા,"ગુરુશ્રેષ્ઠ,આ વન કેમ બધાથી વિચિત્ર લાગેછે? "
વિશ્વામિત્રજી-"વત્સ, આ તાડીકાવન છે...અહી જ તાડકા નામની મહા-ભયંકર રાક્ષશી રહેછે, જે
અહીંથી પસાર થનારને પોતાનું ભોજન બનાવેછે..તે આપણાં માર્ગમાં પણ અવશ્ય બાધારૂપ બનશે.."
એટલી વારમાં તો હસ્તિપાદ જેવો અવાજ સંભળાયો. અને ધરતી પણ ધ્રુજવા લાગી.
વિશ્વામિત્રજી-"સાવધાન કુંવરો, તે આવી રહીછે..તે કંઈ પણ કરી શકેછે.."
ત્યાંતો તાડકા સામે આવી ઉભી રહી...-પુરા ત્રણ વૃક્ષ જેટલી તે કદાવર હતી..
ઝાડના મૂળ જેવા તેના કેશ હવામાં ફંગોળાતા હતા..તેનું મુખ કદરૂપું હતું.
અને તેની રક્તવર્ણી આંખો બિહામણી હતી...લાંબા લાંબા દાંત મોંની બહાર પણ દ્રશ્યમાન થતા હતા..અને જાણે તેનું પૂરું શરીર ઝાડની વડવાઈઓથી  ઘેરાયેલું હતું..
એક ભયાનક ગર્જના કરી તે બોલી,"વિશ્વામિત્ર, આજે તારું મોત તને બોલાવી લાવ્યું કે શું?આજે તો નક્કી મને સારું ભોજન મળશે..આ કોમળ યુવકોના ધનુષ-બાણ તમને બચાવી નહિ શકે.."-તેનું અટ્ટહાસ્ય ચાલુ જ હતું..અને તેના પ્રહારો પણ ચાલુ થઇ ગયા..
વિશ્વામિત્રજીએ  કુંવરો ને આજ્ઞા આપી,"પુત્રો, આ રાક્ષશી હવે લોકો માટે સમસ્યા બની ચુકીછે. તેથી તેને મારવાથી સ્ત્રી-હત્યાનું પાપ નહિ લાગે. તેનો અંત આણવો જ પડશે.."
ગુરુજીની આજ્ઞા મળતા જ લક્ષ્મણજીએ તીર છોડ્યું. જે સીધું તાડકાના મસ્તક પર જઈ વાગ્યું.પરંતુ તેનાથી તેને કોઈ અસર થતી હોય તેવું લાગ્યું નહિ..સોય જેવા તીરને તેણે વાળીને ફેકી દીધું, અને વિકરાળ મુખ ખોલી તે તેઓને પકડવા દોડી..
આ દરમિયાન જ રામજીએ તીર છોડ્યું. તે તેને સહન ન  કરી શકી
અને વાયુ બની હવામાં પથરાઈ ગઈ..

पहले बाणके रामने लिया ताड़का नाम, निर्विघ्नं ताडकाको पहुँचाया सुरधाम...
असुरी ताड़का थी बडभागी , जिसको मुक्ति मिली बिन-मागी..|| 

તાડકાને સ્થાને એક અપ્સરા ઉપસ્થિત થઇ,"ગુરુવર, આપની સાથે આવેલા આ શ્રીચરણો કોણ છે?"
ગુરુજી- "તાડકા, તેઓ શ્રીરામ છે, જેણે તને મુક્તિ અપાવી. અને એ છે લક્ષ્મણ."
"હે રામ, આપને મારા પ્રણામ.." કહી તે અંતર્ધ્યાન થઇ ગઈ..


જય સિયારામ..

Monday, December 12, 2011

મહર્ષિ વિશ્વામિત્ર આગમન..

જય સિયારામ...

આનંદ-પ્રમોદમાં દિવસો વીતેછે...સુમસાન મહેલોમાં શાંતિની જગ્યા ખીલખીલાહટે લીધીછે. બધા હળી-મળીને રહેછે.

આવે સમયે અનુચર મહર્ષિ વિશ્વામિત્રના આગમનની સુચના લઇ રાજા દશરથ પાસે આવ્યો.
તેઓએ તેમને આદર સહીત અંદર લઇ આવવાની આજ્ઞા કરી.
રાજાએ તેમના ચરણ પખાળ્યા  અને આગતા-સ્વાગતા કરી..
વિશ્રાંતિ બાદ એમણે એમના આવવાનું પ્રયોજન પૂછ્યું.

મુનિજી કહે,"રાજન, અમે ઋષીઓ સંગઠિત થઈને આણ્વિક શસ્ત્રોની સિદ્ધિ માટે એક મહાયજ્ઞ કરી રહ્યા છીએ. પરંતુ લંકાના રાજા રાવણના રાક્ષસો - મારીચ અને સુબાહુ પ્રતિદિન યજ્ઞ ધ્વસ્ત કરી દે છે.
 યજ્ઞના પવિત્ર કુંડમાં રક્ત અને પશુબલી ફેકેછે. તેઓ ઋષિઓને રંજાડવાનું પણ છોડતા નથી."

"તો મારા માટે શી આજ્ઞા છે ગુરુદેવ ?" -રાજાએ હાથ જોડતા પૂછ્યું.

"પહેલા મને વચન આપો કે હું જે યાચીશ તે મળશે  .."-મુનિજી વદ્યા.

"આપની સેવા ખાતર હું મારું મસ્તક પણ ઉતારી આપવા તૈયાર છું.." -રાજાજી બોલ્યા," હું આપને વચનબદ્ધ છું કે આપ જે બોલશો તે તુરત જ થશે.."

"તો મને રામ-લક્ષ્મણ કે જે શસ્ત્રોમાં પારંગત છે તેને લઇ જવા દો. તેઓ રાક્ષસો સામે લડશે."-ઋષિજી વદ્યા.

"આ શું બોલ્યા દેવ? હજુ તો તેઓ નાના છે. હું જાતે પુરી સેના સહીત રાક્ષસોનો સંહાર કરીશ."-રાજાએ વિનંતી કરી.
 આ સાંભળી ગુરુજી ક્રોધિત થયા અને કહેવા લાગ્યા," પહેલા વચનબદ્ધ થવું અને પછી પીછેહઠ કરવી  -શું સુર્યવંશીની આ જ ગરિમા છે?"

રાજાજીએ મુનિને ખુબ બધી વાર મનાવ્યા. પરંતુ તે હઠ પકડી રહ્યા. અંતે ગુરુ વશિષ્ઠની સમજાવટથી મહારાજ તેમને મોકલવા તૈયાર થયા.

મહેલમાં ફરી નીરવ શાંતિ છવાઈ રહી..ઝરૂખામાંથી  માતાઓ રામ-લક્ષ્મણને જતા જુએછે. અને પોતાના અશ્રુ-બિંદુઓને સાચવેછે. ...
જાણે બધાનું હૃદય ગાતું હતું-

राम बिना नहीं जाए जीया, बिन राम कहीं भी जिया नहीं बहले..
रात हो -दिन हो -महेल या सभागृह, रामका दर्शन चाहिए पहले..
रामके रूपमें विष्णु दिखे मुझे , पागल कोई कहे तो कहले,
में तो हु अपने रामका पागल, पागल कोई कहे तो कहले...!!


જય સિયારામ...








Tuesday, December 6, 2011

ગૃહ-આનંદ

જય સિયારામ..

મહારાજ દશરથ સહીત બધા હવે ક્ષણોની ગણતરીમાં પડ્યા છે કે હમણાં રથ મહેલના પટાંગણમાં આવી જશે..હમણાં અમે અમારા પુત્રોને મળીશું..પરંતુ તેમને ઓળખીશું કેમ એવી મીઠી મુંજવણ બધાને સતાવેછે.


ત્યાં અનુચરે  આવીને કહ્યુકે કુંવરોના રથે પહેલો દ્વાર પાર કરી લીધો છે. થોડીવાર પછી બીજા દ્વારની પણ સુચના મળી. .રાણીઓએ મહેલની  સજાવટને આખરી ઓપ આપ્યો.  કૈકેયીજીએ તો પુષ્પનો પથ બનાવ્યો. અને સુમિત્રાજીએ દીવડાઓથી મહેલને શણગારી લીધો...તો માતા કૌશલ્યાજી રંગોળી પુરેછે.
ઘણા વર્ષે પુત્રોના મુખ નિહાળવાની ઈચ્છા આજે પુરી થશે એ વિચારે જ માતાઓના હ્રદય  પુલકિત થઇ ઉઠ્યા..

થોડી જ વારમાં કુંવરોનો રથ નગરમાં આવી પહોંચ્યો...ત્યાં દાસી મંથરા ભરતનાં સ્વાગત  માટે ઉભી હતી..તેની પાસે રથ રોકવામાં આવ્યો..તેણે સીધો જ શ્રીરામ પર પુષ્પનો અભિષેક કર્યો,"આવ પુત્ર, કેટલા વર્ષ થઇ ગયા તને જોયો એને..ભરત, તારી માતાએ તારી બહુ રાહ જોયેલીછે.." - આ સાંભળી બધા હસવા લાગ્યા..શત્રુઘ્ન કહે,"મંથરા, એ તો શ્રીરામ છે...ભરત-જી તેમની બાજુમાં છે."....આટલું સાંભળતા તો તે અવાચક બની રોતા-રોતા કશુક બબડતી મહેલ તરફ જવા લાગી..
રામજી કહે,"ભરત, તને ગર્વ હોવો જોઈએ કે તને આટલો સ્નેહ મંથરા તરફથી મળેછે.."
ભરત-"પરંતુ મને આ સ્નેહથી ક્યારેક ખુબ જ ડર લાગેછે, ભાઈ."
બધા નગરજનોએ સ્વાગત કર્યું અને ગુરુદેવ સહીત બધા મહેલમાં પ્રવેશ્યા..જ્યાં ઋષિ વશિષ્ઠએ ભાઈઓને પિતાજીને મળવાની આજ્ઞા આપી.

રાજા દશરથની ભીની આંખો તરત જ પુત્રોને ઓળખવા લાગી. એટલામાં તો બધી માતાઓ પણ આવી પહોચી.અને કહે,"ક્ષમા કરશો ગુરુદેવ, પરંતુ હવે અમારાથી પુત્રોને મળ્યા વિના રહેવાતું નહોતું.."
ગુરુજીએ ચારે ભાઈઓને કહ્યું,"આજે તમે બધી શિક્ષાઓ લઇ લીધીછે..હું તમને મારા સર્વે બંધનો એવં આજ્ઞા માંથી મુક્ત કરુછું.."

સૌ પ્રથમ બધા પિતાને ભેટી પડ્યા..કોઈ કશું બોલતું નથી. ત્યાર પછી શ્રીરામ  સીધા જ માતા આગળ ગયા. તેઓ પહેલા માતા કૈકેયી પાસે ગયા..
"મારો રામ..." કહી કૈકેયીજીએ તેમનું મસ્તક ચુમી લીધું...ભાઈઓએ બધાની ચરણરજ લીધી. અને માતાઓએ મન ભરીને પુત્રોને નિહાળ્યા...

બધા જમવા બેઠા .શત્રુઘ્નજીએ  લક્ષ્મણજીની થાળીમાંથી તેમના ધ્યાન વગર ખીર લીધી..અને બધાના ચહેરા પર સ્મિત આવી ગયું..આ જોઈ  શ્રીરામે તેમની થાળી લક્ષ્મણજીને આપી દીધી અને પોતે માતાના હાથે ભોજન લીધું...આજે આખું અયોધ્યા ખુબ જ આનંદિત હતું....


જય સિયારામ..

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth