Wednesday, May 30, 2012

જાન આગમન

જય સિયારામ..

સીતાજીના લગ્નની તો તૈયારીઓ શરુ થવા લાગી પણ સાથે બીજી પ્રણયગાથા  પણ 
જન્મ લઇ લીધો!
ઉર્મિલાજીને લક્ષ્મણજી પ્રત્યે સ્નેહ છે તેવું સીતાજીને ખબર પડતા તેમણે પોતાના 
માતા પિતાને વિષે વાત કરી અને ઉર્મિલા-લક્ષ્મણજીના વિવાહની વાત  તેમણે સ્વીકારી લીધી..
ગુરુ વિશ્વામીત્રજીએ પણ  વાતને વધાવી લીધી અને નવેસરથી એક દૂત  
લક્ષ્મણજીના વિવાહનો પ્રસ્તાવ લઇ અયોધ્યા જવા નીકળ્યો..
પરંતુ વાત લક્ષ્મણજીને  ગમી...તેઓ  વાટિકા જતા હતા..
દુરથી ઉર્મિલાજી અને માલવિકાએ તેમને જોયા...
લક્ષ્મણજી ગુસ્સામાં લાગતા હતા.. 
માલવિકાએ ઉર્મિલાને ચીઢાવવા કહ્યું," રઘુવીરના નાના ભાઈ હમેશા ગુસ્સામાં કેમ હોય છે?"
અહી લક્ષ્મણજીનું ધ્યાન ઉર્મિલા તરફ ગયું..
તેમણે ત્યાં ઉર્મિલાજીને જોયા અને સીધા તેમની પાસે પહોચી ગયા..
કહે,"દેવી, મને વિવાહ સ્વીકાર્ય નથી!"
ઉર્મિલાજીએ  અશ્રુ સાથે કારણ પૂછ્યું...
તો તેઓએ કહ્યું,"હું મારા ભાઈ શ્રીરામને સમર્પિત છું..અને ધર્મમાં સંભવત
મારાથી પક્ષપાત થઇ જાય..હું આપને દુ:ખી જોવા નથી ઈચ્છતો.."
ઉર્મિલાજીનો  લક્ષ્મણજી પ્રત્યેનો આદર વધી ગયો..
ઉર્મિલાજીએ  પણ પોતાની ભાવના પ્રગટ કરી,"હું આપને વચન આપુછું કે હું
ક્યારેય કોઈ બાબતે આપને ફરિયાદ નહિ કરું....મારા હૃદયમાં તમારું સ્થાન એવું રહેશે
જેવું મંદિરમાં મૂર્તિનું હોયછે...તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે રહીશ!"
આખરે બંનેના મનનું સમાધાન થયું..

બીજા દિવસે સવારે અયોધ્યા ગયેલો દૂત ખબર લઈને આવ્યો કે
રામ-લક્ષ્મણના વિવાહની વાતથી પૂરી અયોધ્યામાં ઉત્સવ જેવું વાતાવરણ છે..
મહારાજ દશરથ સંબંધીઓ સાથે જાન લઈને સાંજ સુધીમાં પહોચી જશે..
મિથીલાની સજાવટ પણ બપોર સુધીમાં થઇ ગઈ..
ચોમાસાની પ્રથમ વૃષ્ટિ પછી જેવું વાતાવરણ હોય તેવી મિથીલા નગરી શોભેછે..

સાંજે દશરથજી પોતાના સગા-સંબંધીઓ સાથે જાન લઈને આવી પહોચ્યા..
મિથીલામાં તેમનું ભવ્ય સ્વાગત થયું..
ભરત અને શત્રુઘ્નને જોતા મિથીલાની નાની નાની બાલિકાઓ   રામ-લક્ષ્મણ 
પાસે પહોચી ગઈ.કહે,"તમે જાણો છો અમે હમણાં તમારા જેવા બે ભાઈઓને ઉત્સવમાં 
જોયા!!"
શ્રીરામ-"અવશ્ય તે ભરત અને શત્રુઘ્નની વાત કરી રહી છે.."
 જાન જેવી મહેલના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઇ કે સીતાજીને અને ઉર્મિલાને શણગારી રહેલી
સખીઓએ ઉત્સવ જોવા પડાપડી કરી મૂકી..તેમની આંખોએ સીધા રામચંદ્રજીના ભાઈઓને
શોધી કાઢ્યા..
માંડવી અને શ્રુતકીર્તિએ પણ બંનેને જોયા..
સખીઓએ તેમને પણ ચીઢવવાનું  શરુ કર્યું,"તમારી બંનેની ઈચ્છા હોય તો
આપણે વૈદેહીને વાત કરીને તમારું પણ નક્કી કરી નાખીએ!"
ત્યાંજ માલવિકા દોડતી આવી..
કહે,"હવે એની કશી જરૂર નથી..હું હમણાજ રાજસભામાંથી આવી..
ત્યાં ચર્ચા ચાલતી હતી કે રઘુનંદન શ્રીરામની ઈચ્છાથી ચારે ભાઈઓના વિવાહ સાથે થશે..
શ્રીરામ કહે છે કે ચારે સાથે જનમ્યાં હતા,શિક્ષા ગ્રહણ પણ સાથે કરી તો પછી 
પાણિગ્રહણ પણ એકસાથે થવા જોઈએ..એટલે રાજા કુશધ્વજ  
કૈકેયીનંદન કુમાર ભરત સાથે માંડવી અને સુમિત્રાનંદન કુમાર શત્રુઘ્ન સંગ
શ્રુતકીર્તીના વિવાહનો પ્રસ્તાવ મુક્યો..
મહારાજ દશરથએ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર્યો છે..
હવે તમને ચારે બહેનોને શણગારવાની જવાબદારી અમારી! "

રાતે ઝરૂખામાં ઉભેલા રામજીને શત્રુઘ્ન પૂછેછે,"ભાઈ, તમને ભાભીને મળવાનું 
મન નથી થતું?"
ભરત-"શત્રુઘ્ન, ભાઈને પૂછેછે કે પછી તું તારા મનની વાત કરેછે?"
સાંભળી બધા હસી પડ્યા.. 
રામજીએ સ્મિત સાથે ઉત્તર વાળ્યો-"મન તો મને પણ થાય છે..
પરંતુ હું બાધ્ય છું..મને હજુ તેની આજ્ઞા નથી મળી..!"

ચારે બહેનો પોતાના ભાવિ શ્વસુરની ચરણવંદના કરી આવી..
ચારે વહુઓ તેમજ ધનુષ-ભંગ પ્રસંગ તૈલ-ચિત્રોમાં કેદ થઇ અયોધ્યામાં
મહારાણીઓ પાસે પહોચી ગયા..
ત્રણે રાણીઓ પણ વહુઓની છબી નિહાળી ખુશ થઇ..




જય સિયારામ...

Sunday, May 27, 2012

ધનુષ-ભંગ conn..

જય સિયારામ..


શ્રીરામજીએ  ધનુષભંગ કરી સીતાજીને તો જીતી લીધા, 
પરંતુ ધનુષ  તૂટવાથી  એક પહાડ પર તપ  કરી રહેલાપરશુરામ જી અત્યંત  ક્રોધિત  થઇ  ઉઠ્યા..
તેઓ  વાયુવેગે પધાર્યા  અને ક્રોધાવેશમાં બોલવા લાગ્યા,
"ધનુષ  તોડવાનું આ દુસ્સાહસ  કોણે કર્યું?
રાજા જનક , મેં આપને ધનુષનું સમ્માન  જાળવવા કહેલુ..
અને તમે તેની રક્ષા પણ  ના કરી શક્યા?"

તેમનો ગુસ્સો જોઈ  કોઈ  પોતાના સ્થાનથી હલી પણ  ના શક્યું..
શ્રીરામ  આગળ  આવ્યા અને હાથ  જોડી કહ્યું,"ભગવન , મારાથી આ  કાર્ય  થવા પામ્યુંછે..કૃપયા મને ક્ષમા કરો!"
બધા એકીશ્વાસે આ  ઘટના જોઈ  રહ્યા.
કદાચ  હવે પરશુરામજી શ્રીરામને  કોઈ  શાપ  દેશે એ  ભયથી રાજા જનક  આગળ  આવ્યા, 
પરંતુ પરશુરામજીએ  તેમને બોલતા  અટકાવ્યા...

આ જોઈ લક્ષ્મણજીને ક્રોધ આવ્યો..કહે,"જુનું ધનુષ હતું...! હાથ લાગ્યો કે તૂટ્યું!
 એમાં આટલો બધો ક્રોધ શેના માટે? આવા તો કેટલાયે ધનુષ અમે બાળપણમાં તોડી નાખ્યાછે..!
 ભાઈએ કોઈની ક્ષમા યાચવાની જરૂર નથી!"
આવું થવાથી તો પરશુરામજી વધુ ક્રોધિત થયા,"મુર્ખ! વાણીનો  સંભાળીને ઉપયોગ કર..આ કોઈ જેવું તેવું ધનુષ નહોતું..સ્વયં ભગવાન શિવનું ધનુષ હતું!"

શ્રીરામે લક્ષ્મણજીને ચુપ કર્યા અને ફરી પરશુરામજી પાસે ક્ષમાયાચના કરી."દેવ, એ નાનો છે..!
એને ક્ષમા કરશો! મારાથી ભૂલ થઈછે અને આપ જે દંડ દેશો એ મને માન્ય છે..!!"
શ્રીરામના વિનયથી પરશુરામજીનો ક્રોધ ઠંડો પડ્યો..
અને પોતાના ખભેથી એક ધનુષ ઉતાર્યું..કહે,"
રામ, તારા વિવેકથી હું પ્રસન્ન છું...પરંતુ પહેલા મને આ ભગવાન વિષ્ણુના ધનુષ પર બાણ ચલાવીને 
બતાવ.."
ધનુષ હવે શ્રીરામજીના હાથમાં આવ્યું...
જગતના પાલનહારનું ધનુષ સ્વયં પાલનહાર પાસે પાછું આવ્યું હતું!
તેમણે એક પળનો પણ વિલંબ કર્યા વિના તીર છોડ્યું..
પરશુરામજી શ્રીરામ પર પ્રસન્ન થયા..અને સીતારામની યુગલ જોડીને આશીર્વાદ આપી વિદાય લીધી!

રાજા જનક હવે રાજા દશરથને જાન લઇ મિથિલા આવવાનું કહેણ મોકલાવે છે...
મિથિલા અને અયોધ્યામાં આનંદ-આનંદ છવાઈ ગયો...
બંને જગ્યાએ લગ્નની જોર-શોરથી તૈયારીઓ થવા લાગી...

જય સિયારામ...

Friday, May 11, 2012

ધનુષ ભંગ પ્રસંગ

જય સિયારામ...

શ્રીરામ પોતાના મંચથી ઉભા થયા અને મધ્યસભામાં આવી પહોચ્યા..
બધા ગુરુજનો અને વડીલોને નમન કરીને ધનુષને પણ પ્રણામ કર્યા..
એક હસ્તથી ધનુષ પકડીને શ્રીરામે ઉભું કર્યું! અને બધાનું હૃદય ધબકારો ચુકી ગયું!


સીતાજીના આનંદનો પાર નથી...હવે શ્રીરામ પ્રત્યંચા ચઢાવેછે.
પરંતુ તેમ કરતા ધનુષના બે ટુકડા થઇ ગયા..આ જોઈ સભાના અમુક રાજાઓતો ઉભા થઇ ગયા!
માતા સુનયનાની આંખો અશ્રુથી છલકાઈ ગઈ અને લક્ષ્મણજીએ  ગર્વ સાથે જનક્જીની  સામે જોયું..
સભાખંડની ઉપરના માળે રહેલી દાસીઓએ પુષ્પવર્ષા કરી..
થોડીવાર પુષ્પોની વર્ષા વચ્ચે રામજી અદ્રશ્ય થઇ ગયા..
સભામાં જયઘોષ થઇ રહ્યો..
સીતાજી હવે ફૂલોનો ભવ્ય હાર લઇ સખીઓ સાથે રામજીને વધાવવા જાયછે..
સખીઓના મધુર કાવ્યથી સભા ડોલી ઉઠી..



राजीव-नयनको , स्वतः चयन को जयमाला पहेनाओ..
सन्मुख है रघुवर, दुर्लभ अवसर! यह अवसर न गवाओ...जयमाला पहेनाओ...

સીતાજી ધીમે ધીમે રામજી તરફ આગળ વધી રહ્યાછે..પરંતુ તેમની ખુશીને કારણે તેઓ આગળ જવાનું સાહસ નથી કરી શકતા. જે સીતાજી શિવ-ધનુષને પળવારમાં ઉચકી લેતા હતા, તેમનાથી અત્યારે  ફૂલોનો હાર પણ ઉચકાતો નથી!



क्यों लज्जा-मंडित चरणोसे, बढ़जाने का साहस न जुटे!
शिव-धनुष रामने उठालिया, सखी, पुष्पमाल तुमसे न उठे!
जयका प्रतिक जयमाल डालकर विजय राम पर पाओ...जयमाला पहेनाओ...

સીતાજીને બનેલી ઘટના પર વિશ્વાસ નથી બેસતો, જાણે સખીઓને કહી રહ્યા છે,
नयनोके निकट नयन-निधि हैं, नयनो को यह विश्वास तो हो...
इस दीर्घ-प्रतीक्षित मधु-क्षणका किंचित मुजको आभास तो हो..
दुविधा-संकोचमे पड़कर सीते , अब न विलम्ब लगाओ..जयमाला पहेनाओ..
जय-मालामें निज-ह्रदय गूँथ ,सिय रंगमंचकी ओर चली..
लक्ष्मी चली विष्णुके वरण हेतु, यूँ चन्द्रकी ओर चकोर चली..!
माल्यार्पणकी शुभ लगन आ गई, मंगलगीत सुनाओ..
ये है शाश्वत जोड़ी , निरख निरख कर जीवन सफल बनाओ..



ફૂલોના હારમાં જાણે પોતાનું હૃદય ગૂંથીને સીતાજીએ જયમાલા શ્રીરામને પહેરાવી અને 
ફરી એકવાર બંને પર પુષ્પવર્ષા થઇ...
સીતારામની આ સુંદર જોડી બધાની આંખમાં વસી ગઈ !

પરંતુ શ્રીરામે મીથીલામાં હજુ એક પરીક્ષા આપવાની બાકી હતી!



જય સિયારામ..

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth