Friday, April 1, 2011

ભગવતી આગમન ..

જય સીયારામ..
રામજી  તેમના ભાઈઓ સાથે મોટા થવા લાગ્યા...એક બાજુ મારુતિના નિર્દોષ તોફાન પણ થતા રહ્યા..
એવા સમયે મિથીલાના રાજા જનકે પણ તેમની તપસ્ચર્યા પૂરી કરી અને વિદેહ કહેવાયા.
હવે ભગવતી નું અવતરણ થવાનું હતું..એક યજ્ઞના ભાગ રૂપે મહારાજ જનક ખેતરમાં હળ
ચલાવતા હતા.. પરંતુ એક જગ્યા એ હળ થોભી  ગયું..
ઘણા યત્નો કરવા છતાં આગળ જ ન વધ્યું..મહારાજ ની આજ્ઞા થી ત્યાં ની ભૂમિ ખોદતા 
બધાના આશ્ચર્ય વચ્ચે ત્યાંથી એક સંદૂક પ્રગટ થઇ..અને તેને ખોલતા તો
 જનક્જી ગદગદ થઇ ગયા..એક નવજાત કન્યા શિશુ જનક્જી ના હાથ માં આવતા જ રડતી બંધ થઇ..જનકજી ને પણ સંતાન ની ખોટ પૂરી થતી લાગી..
અને ત્યાંજ કન્યાનું નામ-કરણ થઇ ગયું-"સીતા"..
હળ ચલાવતા મળેલા એટલે તેમનું નામ સીતા પડ્યું..
આ પછી રાજા જનકના રાણી સુનૈનાજી ના કુખેપણ કન્યા અવતરી-'ઉર્મિલા'. 
જેવી રીતે રામજી  નો પડછાયો લક્ષ્મણ હતા તેવી રીતે ઉર્મિલા પણ સીયાનો પડછાયો હતા..
કાકા કુશધ્વજજી ની બંને દીકરીઓ માંડવી અને  શ્રુતકીર્તિ બંનેની પાક્કી સહેલીઓ..
નાની કન્યાઓ ના ઝાંઝર ના રણકારથી મિથીલાનરેશ નો મહેલ પણ ભર્યો-ભાદર્યો થઇ ગયો.. 

જય સીયારામ..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth