Tuesday, June 4, 2013

રાજ્યાભિષેક પૂર્વે....

જય સિયારામ..

થોડા દિવસ બાદ રાજા દશરથ પોતાને આયનામાં જુએ છે..અને અચાનક
કંઇક તેમના ધ્યાનમાં આવે છે..પછી કશુંક વિચારી સ્મિત કરે છે અને રાજસભામાં જવાતૈયાર થાય છે..
પોતાનો વિચાર અમાત્યો અંને મંત્રીઓ પાસે રજુ કર્યો.
બધેથી તેમના આ અતિ મંગલમય વિચારને સરાહના મળી..
હવે મહારાજે જયોતિષાચાર્યને બોલાવ્યા . અને એ પરમ સુખદાયી કાર્ય માટે બહુ જ નજીકનું મુહુર્ત નક્કી થયું..
તે જ દિવસે નગરમાં બધાએ ઢંઢેરો સાંભળ્યો ,"સાંભળો, સાંભળો...રાજા દશરથની નિવૃત્તિ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય મેળાવડો યોજાયો છે..તેમજ અયોધ્યાના જયેષ્ઠ કુંવર શ્રીરામચંદ્રના રાજ્યાભિષેક પ્રસંગે સૌ પ્રજાજનોને આવવાનું સહર્ષ આમંત્રણ પાઠવવામાં આવે છે.. "

લોકો એકબીજાને વધાઈ દેવા માંડ્યા. પ્રજાજનોના પરમપ્રિય કુંવર હવે અવધપતિ બનવા જઈ રહ્યા હતા.
 જાનકીને મહારાણીના રૂપમાં કલ્પના કરતા લોકો થાકતા નહોતા..બધે જ આનંદ આનંદ થઇ રહ્યો.
બધા લોકો પોતાની વ્યાધિઓ ભૂલીને આ દુર્લભ અવસર નિહાળવાની તૈયારીઓ કરવા લાગ્યા.
પરંતુ જ્યાં આખું અયોધ્યા જે વાતને લઈને હિલોળે ચડ્યું હતું, ત્યાં જ એ વાત ને લઈને એક વ્યક્તિ અત્યંત નાખુશ હતી...

જય સિયારામ..


Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth