Saturday, February 26, 2011

અવતરણ

ત્રણે માતાઓ પણ પોતાના દિવસો આવનાર મહેમાનોના વિચારો કરવામાં પસાર કરવા લાગી..
આખરે એ ધન્ય દિવસ પણ આવી પહોચ્યો....
અવકાશમાં પણ  બધા દેવી-દેવતાઓ એ ધન્ય ઘડીની વાટ જોતા હતા...
ચૈત્ર માસની શુક્લ પક્ષની નવમી નો દિવસ...
હરિશ્રી વિષ્ણુએ સમગ્ર જગતના જાણે શ્વાસ થંભાવી દીધા..
નદીઓ વહેતી અટકી ગઈ...પવન  વાતો બંધ થયો..
સાગરના મોજા હિલોળા લેવાનું  ભૂલી ગયા..
પશુ-પક્ષી જાણે આજ પ્રભુના અવતરણ ટાણે સામાન્ય જીવ મટીને
ધૈર્યધાર તપસ્વી બની બેઠા..
અને  મહારાણી કૌશલ્યાજી  એ   શ્રી હરિના  દર્શન પામ્યા...
હરિ વદેછે..
"સ્મરણ છે દેવી? આગલા જન્મમાં તમે અદિતિના રૂપમાં મારી પાસે વરદાન
માગ્યું હતું કે આપના જેવા પુત્રની હું માતા બનું..
પરંતુ મારા જેવું તો કોઈ જ નથી એટલે હું જ આપના પુત્રરૂપે આવુછું..."

"મારા ધન્ય ભાગ્ય,પ્રભુ! પરંતુ  હવે તમે બાલરૂપમાં  પ્રકટ થાઓ..." કૌશલ્યાજી
હાથ જોડીને બોલ્યા...
અને ચંદ્રમુખી બાળકના રુદનથી સુનો મહેલ ગાજી ઉઠ્યો...
અવકાશમાંથી દેવીદેવતાઓએ પ્રતીકાત્મક પુષ્પવર્ષા કરી....

થોડીવારે એક દાસીએ આવીને મહેલના ઝરૂખામાં આંટા
મારતા  દશરથજીને વધામણી આપીકે તેઓ એક સુંદર   પુત્રના
પિતા બન્યા છે...દશરથજીએ  તરત તેમના ગળાને શોભાવતો હાર દાસીને  આપ્યો....
ત્યાતો મંથરા સહીત બીજી દાસીએ  આવીને વધામણી ખાધીકે કૈકેયીજીએ પણ
એક પુત્રને જન્મ આપ્યો છે....તેમનો  હરખ હજુ પૂરો બહાર પડ્યો ન  પડ્યો
કે સુમીત્રાજીના કક્ષમાંથી આવતી દાસીએ કહ્યુકે તેઓ વધુ બે પુત્રોના પિતા બન્યા
છે..
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth