Thursday, June 16, 2011

બાળલીલા conn..

જય સિયારામ...

અહીં સીતાજી પણ તેમની બહેનો સાથે મિથીલામાં બાળ-લીલાઓ કરેછે..
નાનકડા એવા સીતાજી તેમની સખીઓ અને બહેનો સાથે રમતા રમતા વિષ્ણુ ભગવાનની  મૂર્તિ પાસે જઈ ચડતા..  અને તેને જોઈ સીતાજી જાણે અવાચક થઇ જતા..
એકવાર રમત રમતમાં શ્રુતકીર્તિએ સીતાજીને પૂછ્યું,"સીતે, તારે કેવા પતિ જોઈએ છે??"
આ સાંભળી ઉર્મિલાએ ઉત્તર આપ્યો,"મને ખબર છે તેને કેવા પતિની ઈચ્છા છે.."
"કેવા પતિની ?"-માંડવી એ પૂછ્યું...ઉર્મિલા કહે,'જે શક્તિશાળી હોય, પ્રખર તેજસ્વી  હોય અને જેની આગળ મોટા મોટા રાજાઓનું પણ કઈ ના આવે તેવું ચરિત્ર હોય...જે સિયાનું  ધ્યાન પણ રાખે..બરાબર ને સીતે?".આમ કહી બધી સખીઓ હસવા લાગી...
પરંતુ સીતાજી ગંભીર બન્યા..વિષ્ણુ ભગવાનની મૂર્તિ સામે જોઈ કહે,"મારે આવા પતિ જોઈએ છે...હરિ જેવા ગુણો ધારણ કરનાર..જુઓ, તેમના એક હસ્તમાં ચક્ર છે જે સૂચવે છે કે તે પાપીઓને દંડ દેશે અને અધર્મીઓનો વિનાશ કરશે..તો બીજા હસ્તમાં પદ્મ પણ છે..એટલે કે તેઓ કમળની સમાન કોમળ થવાનું પણ જાણેછે.."
अतुलनीय वन्दनीय पूजनीय इष्ट यही, एकनिष्ठ  होके ध्यान विष्णुका लगाया हे..
जगतपति परमपतिको पतिके रुपमे पाउ,यही मुख्य आकर्षण यहाँ खीच लाया हे..

આ વાતો ગુરુમાતા દુરથી સંભાળતા હતા..સીતાજીની વાતો પર તેમને સ્નેહ ઉપજ્યું અને જાણે મનમાં જ તે બોલી ઉઠ્યા,'તારી ઈચ્છા અવશ્ય પૂરી થશે,પુત્રી!"

એક સવારે રાજગુરુ વશિષ્ઠ અયોધ્યા પધાર્યા..મહારાજ દશરથે તેમની સુશ્રુષા બાદ આવવાનું કારણ પૂછ્યું..ત્રણે રાણીઓ પણ ત્યાં હતી..
વશિષ્ઠ ઋષિ કહે,"હું એક ખાસ પ્રયોજનથી અહી આવ્યો છું.મહારાજ, આપના પુત્રો હવે વિદ્યાભ્યાસ માટે તૈયાર થઇ ગયાછે..એમનું હવે આશ્રમે આવવું યોગ્ય રહેશે!"
આ સાંભળી ત્રણે માતાઓના હૃદયમાં ધ્રાસકો પડ્યો! દશરથ રાજા પણ થોડીવાર ચુપ બેસી રહ્યા..
પછી હાથ જોડી વશિષ્ઠજીને કહ્યું,"ગુરુદેવ, શું એવું ન  થઇ શકે કે રાજકુમારો અહી મહેલમાં રહીને જ શિક્ષા ગ્રહણ કરે??"
આ સાંભળી વશિષ્ઠજી હસ્યા,કહે-"મહારાજ,આ એક પિતા બોલી રહ્યો છે, એક રઘુવંશી નહિ!, અને સાચું શિક્ષણ તો વનમાં જ મળે,અહી મહેલમાં તેમને બધી સુવિધાઓ મળશે પણ જીવનમાં ક્યારેક એવો વખત પણ આવી શકે જયારે આ બધું ભૌતિક સુખ છૂટી જાય.ત્યારે તેઓનું મનોબળ ટકી રહે એ માટેની  સમજ તો  ઝુપડામાં જ પ્રાપ્ત થાય,અહી મહેલમાં નહિ!..પુત્રમોહ ત્યાગી દો..અને આ દીક્ષા તો તેમણે લેવાની જ છે.."
મહારાજે હાથ જોડ્યા,"આપ જે કહો તે મને માન્ય છે, રીશીવર!"
વશિષ્ઠજીએ વાત આગળ વધારી,"દીક્ષા ગ્રહણ માટે મેં મુહુર્ત જોઈ રાખ્યું છે..કાલે અત્યંત શુભ દિવસ છે કુમાંરોના આશ્રમ પ્રસ્થાન માટે!"
માતાઓ એક-બીજા સામે ભીની આખે જોઈ રહી હતી..
દશરથજી બોલ્યા,"ચાલો ગુરૂવર, હું પ્રધાનો અને અમાત્યોને આ વિષે સુચના આપી દઉં અને દીક્ષા માટેની જરૂરી વિધિઓ પણ તમે એમને જણાવી દો, જેથી અત્યારથી તેઓ તૈયારી કરવા માંડે!"
બંને દરબાર તરફ ગયા અને રાણીઓ તેમના પુત્રો પાસે જવા નીકળી..
હવે આજની રાત જ છે તેઓ તેમના પુત્રો સાથે એવું વિચારતા તેમના રોમેરોમ કંપી ઉઠ્યા..

આજની સાંજ પણ બહુ ઉદાસ રીતે પસાર થઇ..રાણીઓના ગળે જમવાનું પણ ન ઉતર્યું..
રાતે માતાઓ ને ઊંઘ પણ ન આવી..ઘડીકમાં સુતા પુત્રોને નિહાળે તો ઘડીક માં આકાશ તરફ દ્રષ્ટિ કરે!
ક્યાંક સવાર તો નથી થઇ ગઈને!!
ત્રણે એક બીજીને કહી રહી હતી.."આટલા વિલાસમાં ઉછરેલા આપણા પુત્રો કેમ કરી ત્યાં રહી શકશે!?
આવી કોમળ શય્યા છોડી તેમને શું દર્ભ પર નીંદર આવશે ખરી?અને ત્યાં તેમને કોણ  હાલરડાં ગાઈને સુવાડશે! બત્રીસ જાતના પકવાન જમતા આપણા પુત્રોને  ત્યાનું સાદું ભોજન ભાવશે?" આવું વિચારી, રડતા રડતા ત્રણે માતાઓએ  રાત પસાર કરી!

જય સિયારામ...

Friday, June 10, 2011

બાળલીલા ..

જય સિયારામ..
રામજી અને તેમના ભાઈઓ ધીમે ધીમે રમત રમતમાં  ધનુષ-બાણ ચલાવતા શીખ્યા..તેમાં પણ નાનકડા એવા રામજીની લીલાઓ જ અનેરી છે..પીળું પીતાંબર, અંગે આભૂષણો અને મુખ પર અનેરી શોભા સાથે જયારે હસ્તમાં ધનુષ હોય ત્યારે તો એમ જ લાગે કે હવે પલક વારમાં જ સૃષ્ટિના બધા પાપીઓનો અંત થઇ જશે!!
એકવાર બધા ભાઈઓ મહેલના બગીચામાં રમતા હતા..ઝરૂખામાંથી બધી માતાઓ  તેમને અવલોકતી હતી..તેવામાં લક્ષ્મણ અને શત્રુઘ્ન લડી પડ્યા..ત્રણે માતાઓ આતુરતાથી જોવા લાગી કે હવે કોણ આ પરિસ્થિતિને સંભાળેછે...થયું એવું કે રામજી અને ભરતજી બન્ને એ એક જ વૃક્ષના ફળ પર બાણ ચલાવ્યું.
શત્રુઘ્ન કહે કે આ ફળ ભરતજીના બાણથી નીચે આવ્યું છે..ત્યાં લક્ષ્મણ કહે કે આ ફળ તો રામજીના બાણે જ વીંધાયું છે!! આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થઇ! અને માતાઓ સ્મિત સાથે તેમનો આ નિર્દોષ ઝઘડો જોતી હતી!..ત્યાં રામજી આવ્યા અને લક્ષ્મણને કહ્યું,"આ ફળ ભરતે તોડ્યું છે, ભાઈ! તું શાંત થા!"
લક્ષ્મણ વધુ ઉશ્કેરાયા,"એ ખોટું છે ભાઈ! મને ખબર છે તમે ભરતને જીતાડવા આવું કહો છો!એ ફળ તમારું જ છે!!! "
રામજી હસ્યા,"મારું છે તે કોનું છે લક્ષ્મણ?"
લક્ષ્મણ આ વાત માની ગયા અને પછી ચારે એ બધા ફળ સાથે આરોગ્યા...
આ જોઈ કૈકેયીજી બોલ્યા,"રામ હમેશા આવું કરેછે..પોતાની સફળતાનો શ્રેય તેના ભાઈઓને આપી દેછે...કોણ જાણે આવી વાતો તેને કોણ શીખવાડેછે!!!"
કૌશલ્યાજીએ પણ  તેમની વાતમાં સુર પુરાવ્યો અને સુમિત્રાજીને કહ્યું કે તેના બંને પુત્રો પણ તેના જેવા જ છે..તેમના ભાઈઓને સમર્પિત..લક્ષ્મણે પોતાને રામજીને સમર્પિત કરી દીધા તો શત્રુઘ્ને ભરત ને!
ત્રણે માતાને શું ખબર કે આ ભાઈઓની જોડી ભવિષ્ય માં કેવા પરાક્રમો કરવાની છે!!
જય સિયારામ..

.
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth