Friday, September 21, 2012

લડાઈ ..

જય સિયારામ...

મહિનાઓ આનંદમાં વીતે છે..નવપરિણીત દંપતી એકબીજાને સમજેછે અને એકબીજાને 
અનુરૂપ થવા પ્રયત્ન કરે છે..

એકવાર ચારે યુગલ મિથીલા જવા નીકળેછે. ત્યાં થોડા દિવસ રોકાઇને જયારે
તેઓ પાછા ફરતા હોયછે ત્યારે તેમના પર રાજાઓની ટુકડી આક્રમણ કરે છે..
આ એ જ રાજાઓ છે જે સીતા-સ્વયંવરમાં નિષ્ફળ નીવડ્યા હતા.
સ્ત્રીઓને છાવણીમાં રાખી કુંવરો  લડે છે..જેમાં બાણ લગતા ભરત મૂર્છિત થાયછે.
રામજીએ લક્ષ્મણને નજીકના આશ્રમથી જડીબુટી લાવવા કહ્યું..
લક્ષ્મણ તુર્તજ જાયછે પરંતુ આશ્રમના ગુરુજી સાધનામાં બેઠા હતા..
આશ્રમવાસીઓની મનાઈ છતાં લક્ષ્મણ બુટી લઈને ભરત પાસે પહોચી ગયા.
પરંતુ બુટીનો પ્રભાવ પડતો નથી. 
લક્ષ્મણ-"ભાઈ, હું ગુરુદેવની આજ્ઞા વગર જ બુટી લઇ આવ્યો છું ,શું એટલે જ
આ બુટી કામ કરતી નથી?"
શ્રીરામ તરત જ આશ્રમે ગયા. જઈને જુએ તો ગુરુદેવ ક્રોધિત હતા કે
કોઈ અજાણ્યું આજ્ઞા વિના જ બુટી લઇ ગયું..!
શ્રીરામે પરિસ્થિતિ સંભાળી. ગુરુને શાંત પાડી સમજાવ્યા..
ત્યારબાદ ગુરુદેવના આશીર્વાદથી ભરત સાજા થયા..અને યુદ્ધમાં 
પણ જીત થઇ.
અયોધ્યા પાછા ફરતા બધાને આ વાતની જાણ થઇ. કૈકેયીજી તો
રામને ભેટી પડ્યા..
શ્રીરામ-"માતે, સાચો ધર્મ તો લક્ષ્મણે બજાવ્યોછે..મુનિનો ક્રોધ વહોરીને પણ
તેને બુટીઓ લાવી આપી."  કૈકેયીજીએ  લક્ષ્મણને પણ ગળે લગાડ્યા..
માંડવી ભરતને  લઈને તેમના કક્ષમાં પહોચી. ત્યાં મંથરા હતી..
સ્મિત સાથે કહે,"આવો મહારાણી! થાકી ગયા હશો તમે..
તમે વિશ્રામ કરો ત્યાં હમણાં જ હું ભોજન પીરસુછું.."
માંડવી-"તમે મને મહારાણી કેમ કહોછો? હું મહારાણી નથી..."
મંથરા-"મહારાજ દશરથના ઉત્તરાધિકારી ભરત છે. તેઓ મહારાજ થાય
તો તમે મહારાણી થયા ને!!"
આ સાંભળી માંડવી હસી પાડી-"અરે! મહારાજ તો રઘુનંદન શ્રીરામ થશે..અને મહારાણી
થશે મારી બહેન સીતા! "-આમ કહી તે હસતી ચાલી ગઈ..
મંથરા મોં મચકોડી પોતાનું કામ કરવા લાગી...

જય સિયારામ...

Friday, August 17, 2012

અયોધ્યા આગમન

જય સિયારામ..

જાન અયોધ્યા પહોચે છે..માતાઓ એ જાનનું ભવ્ય સ્વાગત કર્યું..
માંડવીને ભરત સાથે જોઇને મંથરા મનમાં બબડી,."આવી ગઈ અયોધ્યાની મહારાણી!!"
માતાઓ પોતપોતાની વહુઓ લઈને સભામાં પધારેછે..અને વડીલોના આશીર્વાદ લેવડાવે છે.
થોડીવાર પછી અંગૂઠીરમત જેવી રમતો ચાલી..
સીતારામ બંને મળીને દુધના પાત્રમાં અંગૂઠી શોધવા લાગ્યા...અચાનક રામજીને મુદ્રિકા 
મળી ગઈ પરંતુ..હળવે રહીને તેમણે અંગૂઠી સીતાજીના હાથમાં સરકાવી દીધી..
અને સીતાજીને ફરી એકવાર જીતી લીધા!!

તે રાત્રે રઘુનંદન સીતાજીને પૂછેછે,"શું તમે મને મારા દરેક કાર્યોમાં સાથ આપશો?"
સીતાજીએ હા પાડી એટલે રઘુનંદન હસ્યા.."ખોટા કાર્યોમાં પણ સાથે રહેશો?"
આ સાંભળી સીતાજીએ ઉચું જોયું...એટલે શ્રીરામ સમજાવે છે,"આપણે હમેશા 
નૈતિક કાર્યો કરવા જોઈએ અને હું એમ જ કરીશ..પરંતુ બની શકે કે ક્યારેક હું માર્ગમાંથી
ભટકી જાઉં..એ સમયે મારો સાથ આપવાને બદલે મને રોકવો એ તમારો ધર્મ હોવો જોઈએ.."
સીતાજીએ સ્મિતથી ઉત્તર વાળ્યો...



શ્રીરામ આગળ બોલ્યા,"દેવી,પતિ પત્ની સંસારરથના બે પૈડાં સમાન છે..બંને ને સાથે ચાલવું જોઈએ..
પરંતુ એ પહેલા આપણે એક બીજાના મિત્રો છીએ..અને એ રીતે જ રહેવું જોઈએ.
.એટલેકે આપણા બંને માંથી કોઈમોટું નથી અને કોઈ નાનું નથી..બંને સમાન છીએ..
જેટલી તમારી ફરજો છે, એટલી જ મારી પણ છે.."
સીતાજી-"હું મારી દરેક ફરજને પૂરી નિષ્ઠાથી નિભાવીશ, સ્વામી!"
શ્રીરામ-"આજે હું તમને એક ભેટ આપવા ઈચ્છુંછું..કોઈ હીરા-ઝવેરાત નહિ,
 પરંતુ એક વચન આપુછું.. રાજાઓને અનેક વાર લગ્નો કરવાની છૂટ હોય છે...
પરંતુ મારા જીવનમાં મારી એક જ સહધર્મચારિણી રહેશે..અને એ તમે હશો.
.એ હમેશા યાદ રાખજો કે કોઈ પણ પરિસ્થિતિમાં તમારું સ્થાન લેનારું ક્યારેય
કોઈ નહિ આવી શકે-આ મારું-એક સૂર્યવંશીનું  વચન છે.."
સીતાજી-"અને મારું પણ આપને  વચન છે કે તન,મન,વચન અને કર્મથી સદા આપની જ સંગીની બનીશ.."

જય સિયારામ..

Saturday, August 4, 2012

વિદાય ....

જય સિયારામ.. 

મહારાજા જનકની ઇચ્છાથી જાન થોડા દિવસ વધુ મિથીલામાં રોકાઇ..
પરંતુ અયોધ્યામાં ત્રણે રાણીઓની આતુરતા વધતી જતી હતી..
સુમિત્રાજી-મહારાજ દશરથ કેમ અયોધ્યા પાછા ફરવાની ઉતાવળ નથી કરતા?
કૌશલ્યાજી-મને લાગે છે મહારાજ જનકની ઈચ્છા નહિ હોય ત્યાં સુધી તેઓ પાછા નહિ ફરે.
જે પુત્રીઓને પાળી-પોષીને મોટી કરી હોય તેમને પોતાનાથી અળગી કરતા ક્યા માતા-પિતાનો
જીવ કપાઈ ન જાય! અને તેમની માતાની મનોસ્થિતિ તો કલ્પી જુઓ!
કેટલા ઉચાટમાં હશે સુનયનાજી!
આમ અયોધ્યામાં રાણીઓએ તો મન વાળી લીધું..હવે મિથીલાવાસીઓનો વારો હતો..

સીતાજી પોતાના કક્ષમાં ધનુષભંગનું તૈલચિત્ર જોતા બેઠા છે..ત્યાં સળવળાટ થયો.
પાછળ જોયું તો પિતાશ્રી આંખમાં આંસુ સાથે ઉભા હતા..
સીતાજી એમને ભેટી પડ્યા..પિતાએ પુત્રીને સમજાવી કે,"સાસરામાં 
વડીલોનો હંમેશા આદર કરજે..અને પિયર અને સાસરાની ગરિમા જળવાઈ રહે
તેવા જ કાર્યો કરજે.."
બધી બહેનો માતા પાસે પણ જાય છે અને પતિના પગલે ચાલવાનો સંકલ્પ પણ
લે છે..
હવે વિદાયની ઘડી આવી ગઈ..પુષ્પોથી લદાયેલી ચાર ડોલીઓ તૈયાર હતી..
બધા મિથીલાવાસીઓની આંખ ભીની હતી... જાણે કહેતી હતી,

कैसी घडी आई, रोके रुके न रुलाई..तोहे कहेके पराई कैसे दे दे विदाई सजनी..
मंगल बधाई अभी जिसने सुनाई काहे  वो ही शहेनाई सुर दुःख भरे लाइ सजनी..

જનકરાજાને બધે સીતા,ઉર્મિલા,માંડવી, શ્રુતકીર્તિ નાની નાની બહેનો રમતી દેખાય છે.


वो बचपन हम भूलेंगी कैसे, जो तेरे संग हँस-बोलके बिता..
हम-सी तुजको अनेक मिलेंगी, तुज-सी एक मिलेंगी न सीता..
काली घटा छाई, रुत सावनकी आई, क्या कहेंगे जो तुजे पूछेगी अमराई सजनी..

બધી બહેનો માતાઓ , સખીઓને ભેટીને રડી રહી હતી..
બધી બહેનો નું અંતર જાણે કહી રહ્યું હતું...
घर अनजाना, नगर अनजाना..अनजानों संग जनम बिताना..
सीताका जाना तो सबने देखा, जाने वालि का दुःख नहीं जाना..
आई  तरुणाई परदेस पठाई बेटी, किस अन्यायीने ये रित बनाई सजनी...

ડોલીઓ ઉઠવા લાગી...રાજા જનકની ધીરજ ખૂટી ગઈ..
जो हे स्वयं महालक्ष्मीकी मूरत, कोन दहेज़में कोई उसे क्या दे!
चाहे जनक वात्सल्यकी अंतिम बूंद भी सीता पे आज लुटादे..!
बाबुलकी कठिनाई जाये न बताई जैसे, बेटी नहीं माई आज डोलीमें बिठाई सजनी...

માતા સુનયનાની પણ એ જ દશા છે..છતાં પતિને ધીરજ બંધાવે છે,
"સ્વામી, તમે તો વિદેહ છો..બધા મોહ પર આધિપત્ય મેળવ્યું છે..છતાં
કેમ આમ કરોછો! "
"દેવી,દીકરીને વળાવતા બધી સિધ્ધિઓ ભૂલી જવાય છે!!"
રાજા દશરથ વેવાઈને આશ્વાસન આપે છે.."આપ ચિંતા ન કરશો મહારાજ..
હું તેમને ક્યારેય ઓછું નહિ આવવા દઉં..માતા-પિતાની ખોટ તેમને કદાપી
નહિ સાલે..તેઓ અયોધ્યામાં પણ એ જ ઠાઠ માં રહેશે, જેમ તેઓ અહી રહેતી હતી!
આ મારું વચન છે આપને.."
બંને વેવાઈએ હાથ જોડ્યા...જાન નીકળી ગઈ..સર્વત્ર નીરવતા પથરાઈ ગઈ..
અને સખીઓના ડૂસકે વૈદેહીનું બાળપણ હડસેલાઈ ગયું...!!


જય સિયારામ..



Thursday, July 12, 2012

अवधके दीपक, मिथिला की बाती, बनने चले हैं जीवनसाथी!!

જય સિયારામ..
આખરે લગ્નની શુભ ઘડી પણ આવી પહોચી!
 સર્વાંગ સુંદર એવા ચાર લગ્નમંડપો મહેલમાં શોભી રહ્યા..બધા મિથીલાવાસીઓ જાણે
તૈયારીઓમાં ડૂબી ગયા..
સીતાજીની સખીઓ ચારે કુંવરીઓને શણગારી રહી હતી...અને સાથે સાથે ચીઢવતી
પણ હતી...
...हे निराली तुम्हारी ससुराल जहाँ पे तुम्हे जाना है..
तिन सासु है तेरह सवाल, जहाँ पे तुम्हे जाना हैं..

बड़ी सासुके चरण दबोगी तो, छोटी सासुके पेटमे पीर होगी!
तुम जो मंजली की वेणी बनोगी तो, बड़ी सासु बड़ी ही अधीर होगी!
वहां सहज गलेगी नहीं दाल!,जहाँ पे तुम्हे जाना हैं...

ચારે કુંવરીઓ પણ તેમણે યથા-યોગ્ય જવાબ આપે છે..

तीनो हम पर गर्व से फूलेगी, भोले मुख देखके बोलेगी!
पर ये मत भूलो आठो  पहर, तिन तलवारे मस्तकपे ज़ुलेगी!
हम ससुरको बना लेंगे ढाल, जहाँ  पे हमें जाना जाना हैं!

હવે લગ્નમંડપ માં ચહલ-પહલ વધી..લગ્નના વસ્ત્રોમાં સુસજ્જ થયેલા
કુંવરોને લઈને મહારાજા દશરથ જાનૈયાઓ અને મહર્ષિ વશિષ્ઠ સાથે
આવી પહોચ્યા...


કુંવરીઓ પણ સુસજ્જ થઈને ભવનમાં પ્રતીક્ષા કરતી હતી..ત્યારે 
માંડવી અને શ્રુતકીર્તિનાં માતાશ્રી આવ્યા..
ચારેનાં માથે હાથ ફેરવ્યો અને કહ્યું,"હવે તમે થોડા કલાકોમાં
વિદાય થશો..એ પહેલા હું તમને ચારે બહેનોને કૈક કહેવા માંગું છું..
તમે હવે અયોધ્યાના  રાજમહેલમાં જશો..જ્યાં રાજ છે, ત્યાં રાજનીતિ પણ અવશ્ય
હશે..પરંતુ તમારા-ચારે બહેનોમાં  ક્યારેય પણ કોઈ રાજનીતિને લઈને
કોઈ કલેશ કે કોઈ વિખવાદ થવો ન જોઈએ..કોઈ ગમે તે કહે પરંતુ
હમેશા એક-બીજાનું ભલું જ ઇચ્છવું.."
ચારે બહેનો એ એક બીજા સામે અશ્રુમિશ્રિત આંખોથી જોયું અને માતાને
વચન આપ્યું કે કોઈ પરિસ્થિતિમાં તેઓ અલગ નહિ પડે..
આટલા માં જ એક સેવકે આવીને કુંવરીઓ ને લગ્નમંડપમાં જવાની સુચના 
આપી...
એક પછી એક કુંવરીઓને મંડપ સુધી લવાઈ..
અત્યારે જો કામદેવની સો પત્નીઓ આવે તો તેમને પણ પરાજિત કરી દે
એવી ચારે કુંવરીઓ લાગતી હતી!

धर्मशील गुणवती पुनीता, ज्योति लुटाती आ रही सीता..
अभिनव रूप-तेज हे अतुलित, सौ रतिको करे सिया पराजित!



જાણે ત્રીભુવનની સ્વામિની  સ્વયં ત્રિભુવનના સ્વામીને
મળવા જઈ રહી હોય તેવું દ્રશ્ય સર્જાયું!

त्रिभुवनके स्वामी से मिलन को चली त्रिभुवन स्वामिनी...
हैं संग तीनो भगिनियां, सिय-पंथ की अनुगामिनी!

રામ-સીતા  બંને એક બીજાના પર્યાય ભાસે છે...
दोनों के पर्याय हैं दोनों, पूर्वलिखित अध्याय हैं दोनों..
 निस्तेज करे दो कांति कोटि रति-काम की!
सुर-नर-मुनिमोहिनी जोड़ी सितारामकी!..



કન્યાદાન નો વખત થયો...જેવી રીતે સાગરે શ્રી હરિને લક્ષ્મીજી
આપ્યા,અને હિમાલયે શિવને ગૌરી આપ્યા હતા તેવી જ રીતે જનક્જી
સીતાજી રામજીને  અર્પણ કરે છે..

सागर ज्यों हरी को दी लक्ष्मी, सौपी हिमालयने शिव को गौरी,
वैसी ही रित जनक निभाए, कन्यादान से पुण्य कमाए..
कन्या-रत्न स्वीकारो जी,कुल मिथिलेशका तारो जी!





એક સાથે ચારે મંડપો માં મંગલ ફેરા પણ ફરાવા લાગ્યા..

Click here to see marriage of SitaRam...

कुलगुरु कर रहे मंत्रोच्चारण...लक्ष्मी संग चले नारायण..
अवधके दीपक, मिथिला की बाती, बनने चले हैं जीवनसाथी...



ત્રણે ભુવનના  લોકો ટકટકી લગાવ્યા વિના મંગલ વિવાહ જોઈ રહ્યા છે..

વિવાહ સંપન્ન થયા..ભોજન સમારંભ પણ આટોપી ગયો..
પરંતુ રાજા જનકની ઈચ્છાથી થોડા દિવસ વધુ જાન રોકાઈ...

Wednesday, May 30, 2012

જાન આગમન

જય સિયારામ..

સીતાજીના લગ્નની તો તૈયારીઓ શરુ થવા લાગી પણ સાથે બીજી પ્રણયગાથા  પણ 
જન્મ લઇ લીધો!
ઉર્મિલાજીને લક્ષ્મણજી પ્રત્યે સ્નેહ છે તેવું સીતાજીને ખબર પડતા તેમણે પોતાના 
માતા પિતાને વિષે વાત કરી અને ઉર્મિલા-લક્ષ્મણજીના વિવાહની વાત  તેમણે સ્વીકારી લીધી..
ગુરુ વિશ્વામીત્રજીએ પણ  વાતને વધાવી લીધી અને નવેસરથી એક દૂત  
લક્ષ્મણજીના વિવાહનો પ્રસ્તાવ લઇ અયોધ્યા જવા નીકળ્યો..
પરંતુ વાત લક્ષ્મણજીને  ગમી...તેઓ  વાટિકા જતા હતા..
દુરથી ઉર્મિલાજી અને માલવિકાએ તેમને જોયા...
લક્ષ્મણજી ગુસ્સામાં લાગતા હતા.. 
માલવિકાએ ઉર્મિલાને ચીઢાવવા કહ્યું," રઘુવીરના નાના ભાઈ હમેશા ગુસ્સામાં કેમ હોય છે?"
અહી લક્ષ્મણજીનું ધ્યાન ઉર્મિલા તરફ ગયું..
તેમણે ત્યાં ઉર્મિલાજીને જોયા અને સીધા તેમની પાસે પહોચી ગયા..
કહે,"દેવી, મને વિવાહ સ્વીકાર્ય નથી!"
ઉર્મિલાજીએ  અશ્રુ સાથે કારણ પૂછ્યું...
તો તેઓએ કહ્યું,"હું મારા ભાઈ શ્રીરામને સમર્પિત છું..અને ધર્મમાં સંભવત
મારાથી પક્ષપાત થઇ જાય..હું આપને દુ:ખી જોવા નથી ઈચ્છતો.."
ઉર્મિલાજીનો  લક્ષ્મણજી પ્રત્યેનો આદર વધી ગયો..
ઉર્મિલાજીએ  પણ પોતાની ભાવના પ્રગટ કરી,"હું આપને વચન આપુછું કે હું
ક્યારેય કોઈ બાબતે આપને ફરિયાદ નહિ કરું....મારા હૃદયમાં તમારું સ્થાન એવું રહેશે
જેવું મંદિરમાં મૂર્તિનું હોયછે...તમારા દરેક નિર્ણયમાં હું તમારી સાથે રહીશ!"
આખરે બંનેના મનનું સમાધાન થયું..

બીજા દિવસે સવારે અયોધ્યા ગયેલો દૂત ખબર લઈને આવ્યો કે
રામ-લક્ષ્મણના વિવાહની વાતથી પૂરી અયોધ્યામાં ઉત્સવ જેવું વાતાવરણ છે..
મહારાજ દશરથ સંબંધીઓ સાથે જાન લઈને સાંજ સુધીમાં પહોચી જશે..
મિથીલાની સજાવટ પણ બપોર સુધીમાં થઇ ગઈ..
ચોમાસાની પ્રથમ વૃષ્ટિ પછી જેવું વાતાવરણ હોય તેવી મિથીલા નગરી શોભેછે..

સાંજે દશરથજી પોતાના સગા-સંબંધીઓ સાથે જાન લઈને આવી પહોચ્યા..
મિથીલામાં તેમનું ભવ્ય સ્વાગત થયું..
ભરત અને શત્રુઘ્નને જોતા મિથીલાની નાની નાની બાલિકાઓ   રામ-લક્ષ્મણ 
પાસે પહોચી ગઈ.કહે,"તમે જાણો છો અમે હમણાં તમારા જેવા બે ભાઈઓને ઉત્સવમાં 
જોયા!!"
શ્રીરામ-"અવશ્ય તે ભરત અને શત્રુઘ્નની વાત કરી રહી છે.."
 જાન જેવી મહેલના પ્રવેશદ્વાર પાસેથી પસાર થઇ કે સીતાજીને અને ઉર્મિલાને શણગારી રહેલી
સખીઓએ ઉત્સવ જોવા પડાપડી કરી મૂકી..તેમની આંખોએ સીધા રામચંદ્રજીના ભાઈઓને
શોધી કાઢ્યા..
માંડવી અને શ્રુતકીર્તિએ પણ બંનેને જોયા..
સખીઓએ તેમને પણ ચીઢવવાનું  શરુ કર્યું,"તમારી બંનેની ઈચ્છા હોય તો
આપણે વૈદેહીને વાત કરીને તમારું પણ નક્કી કરી નાખીએ!"
ત્યાંજ માલવિકા દોડતી આવી..
કહે,"હવે એની કશી જરૂર નથી..હું હમણાજ રાજસભામાંથી આવી..
ત્યાં ચર્ચા ચાલતી હતી કે રઘુનંદન શ્રીરામની ઈચ્છાથી ચારે ભાઈઓના વિવાહ સાથે થશે..
શ્રીરામ કહે છે કે ચારે સાથે જનમ્યાં હતા,શિક્ષા ગ્રહણ પણ સાથે કરી તો પછી 
પાણિગ્રહણ પણ એકસાથે થવા જોઈએ..એટલે રાજા કુશધ્વજ  
કૈકેયીનંદન કુમાર ભરત સાથે માંડવી અને સુમિત્રાનંદન કુમાર શત્રુઘ્ન સંગ
શ્રુતકીર્તીના વિવાહનો પ્રસ્તાવ મુક્યો..
મહારાજ દશરથએ પ્રસ્તાવ ખુશી ખુશી સ્વીકાર્યો છે..
હવે તમને ચારે બહેનોને શણગારવાની જવાબદારી અમારી! "

રાતે ઝરૂખામાં ઉભેલા રામજીને શત્રુઘ્ન પૂછેછે,"ભાઈ, તમને ભાભીને મળવાનું 
મન નથી થતું?"
ભરત-"શત્રુઘ્ન, ભાઈને પૂછેછે કે પછી તું તારા મનની વાત કરેછે?"
સાંભળી બધા હસી પડ્યા.. 
રામજીએ સ્મિત સાથે ઉત્તર વાળ્યો-"મન તો મને પણ થાય છે..
પરંતુ હું બાધ્ય છું..મને હજુ તેની આજ્ઞા નથી મળી..!"

ચારે બહેનો પોતાના ભાવિ શ્વસુરની ચરણવંદના કરી આવી..
ચારે વહુઓ તેમજ ધનુષ-ભંગ પ્રસંગ તૈલ-ચિત્રોમાં કેદ થઇ અયોધ્યામાં
મહારાણીઓ પાસે પહોચી ગયા..
ત્રણે રાણીઓ પણ વહુઓની છબી નિહાળી ખુશ થઇ..




જય સિયારામ...
Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth