Sunday, February 20, 2011

પ્રારંભ

જય  સીયારામ ..
ભારતની ભૂમિ એ આદિકાળથી દેવોની પ્રિય ભૂમિ રહેલી છે.
તેમાં પણ જગતના પાલનહાર એવા શ્રી હરિ એ જગતનો  ઉદ્ધાર કરવા   ઘણા અવતારો લીધા ..
તેમના બે રૂપ-શ્રીરામ અને શ્રીકૃષ્ણ એ તો ભારતીયોના હદય- સમ્રાટ  છે..
બંને રૂપ એક બીજાથી તદ્દન ભિન્ન..
એક માખણચોર ગણાયા તો  બીજા મર્યાદા પુરુષોત્તમ ગણાયા..
કોઈએ ઠીક જ કહ્યું છે કે  શ્રીરામ કરે તેમ કરો અને શ્રીકૃષ્ણ કહે તેમ કરો..
કારણકે શ્રીરામ જેવા  આદર્શ વ્યક્તિત્વનું માત્ર સ્મરણ જ  કેટલાયે દુઃખને દુર કરવા
સક્ષમ છે....
તેમના પરમ સાનિધ્યની ઝડીમાં  ક્યાંક-ક્યાંક કોરી  રહી ગયેલી આત્માને ભીંજવીએ...

પ્રાચીન ભારતવર્ષ માં અયોધ્યા નામે એક સુંદર નગરી હતી..
તેના મહારાજ દશરથ પ્રજાવત્સલ હતા અને તેમની ન્યાયપ્રીયતાની તોલે કોઈ આવી શકે
તેમ ન હતું..
તેમને ત્રણ રાણીઓ-કૌશલ્યાજી  , કૈકેયીજી  અને સુમિત્રાજી . પરંતુ ત્રણ-ત્રણ રાણીઓ હોવા છતાં મહારાજ
પુત્ર-પ્રાપ્તિથી વંચિત હતા..
આ માટે તેમણે એક યજ્ઞ  કર્યો...જેના અંતે એક દિવ્ય-પુરુષ પ્રસાદી સાથે ઉદભવ્યા..
आस भरा विश्वास भरा, दशरथ के हाथोमे  खीर का प्याला..
पहला भाग महाराजाने महारानिके हाथमे डाला..
दूसरा भाग दिया कैकेयीको, मानो भाग बदलने वाला.
कौशल्या कैकेयिने सुमित्राके नामका एक-एक भाग निकाला..
મહારાજે ત્રણે રાણીઓને સરખા ભાગ આપ્યા.. પરંતુ સુમિત્રાજીનો ભાગ અચાનક આકાશમાંથી
આવેલ એક સમડી લઇ ગઈ...
આ ઘટનાથી અચંબિત બંને રાણીઓએ પોતાનામાંથી અડધો-અડધો ભાગ સુમિત્રાજી ને આપ્યો.
જે ભાગનું પાત્ર સમડી લઇ ગઈ હતી, તે વાયુદેવના પ્રતાપે  દુર એક પર્વત પર તપ કરતી અંજની નામની અપ્સરાના ખોળામાં જઈને પડ્યો..
પ્રસાદીના પ્રતાપે ત્રણે રાણીઓને સારા દિવસો રહ્યા અને મહારાજ તેમના મહેલમાં
કિલકારીઓની વાટ જોવા લાગ્યા... 





2 comments:

  1. KHUSHBU M. KHOLIAMarch 06, 2011

    it's really gr8 dear.....
    i like the most....
    wowwwwwwwwwwwww

    ReplyDelete
  2. I really liked it!!
    thank u 4 opening this blog..

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth