Sunday, November 27, 2011

ગૃહ પ્રસ્થાન...

જય સિયારામ..

રથ આશ્રમના પ્રવેશદ્વારે ઉભો રહ્યો અને સુમંતજી થોડા સેવકો સાથે નીચે ઉતર્યા.....
ગુરુદેવને પ્રણામ કર્યા..અને આસન ગ્રહણ કર્યું...
થોડી વારમાં અયોધ્યાના રાજકુમારો રાજસી વસ્ત્રોમાં સુશોભિત થઈને ,કરમાં ધનુષ-બાણ લઈને બધા સામે પ્રકટ થઇ રહ્યા..આશ્રમમાં તો જાણે વસંત ઉતરી હોય તેવું વાતાવરણ સર્જાયું..
રામજી સહીત બધા ભાઈઓ ગુરુમાતા પાસે પહેલા આજ્ઞા લેવા ગયા..
ગુરુમાતા ભાવ-વિભોર થઇ ગયા.કહે, " વર્ષોથી મારું માત્ર આ જ કાર્ય રહે છે..વાત્સલ્યથી પાળેલા સંતાનો એક દિવસ નિજ-ગૃહે પ્રસ્થાન કરે છે..તમે બધા મને છોડીને જતા રહેશો પછી ફરી તમારા જેવું કોઈ આવશે,મારે તો તેની જ વાટ જોવાની...."

राम हे जगमे अन्योत्तम,
कोई रामके जैसा और न होना..
राजीव-लोचन , स्नेहिल , कोमल
पावन ,सुन्दर, सरस-सलोना...
राम-सी निधि आँचलमें जो आये,
 तो चाहे कोन उस निधिको खोना..
राम-बिछोह्की बेला पर नहीं रोके रुके गुरुमातका रोना..
माताका  मनतो वैसे ही भावुक, पत्थर को भी आ जाये रोना.


ગુરુદેવને પ્રણામ કરી, તેમની ચરણરજ લીધી..બધા મિત્રોને મળ્યા બાદ ગુરુદેવ સાથે ચારે કુમારો ચાલી નીકળ્યા..અને આશ્રમને રડતો છોડી ગયા..

ભાઈઓનો રથ હવે  અયોધ્યા તરફ વળ્યો..
અવધમાં તો અનેરા ઉત્સવ જેવું વાતાવરણ છે..

अयोध्यामे आनंद छायो हे, चारो राजकुँवर घर आये हैं....

"સાવધાન.,
સૂર્યવંશી મહારાજ દશરથના ચારે રાજકુંવરો ગુરુદેવ વશિષ્ઠજીની સાથે  અયોધ્યાની સરહદે પધારી રહ્યા છે...",સરહદે રહેલા સૈનિકની સુચના આખા અયોધ્યામાં પ્રસરી રહી...


જય સિયારામ..


No comments:

Post a Comment

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth