Sunday, January 31, 2016

શોકગ્રસ્ત અયોધ્યા..continue..

જય સિયારામ..

પોતાના પુત્રને સર્વ લોકો ચાહતા હોય, એને શિરોમણી બનાવવા ઉત્સુક હોય ત્યારે
કઈ માતા ખુશી ન અનુભવે ? !
કૌશલ્યાજી પણ આ આનંદની વર્ષામાં ભીંજાતા હતા. પુત્ર- પુત્રવધુને , નગરને , પરિવાર ને કંઈ કેટલીયે કલ્પનાઓમાં નિહાળતા બેઠા હતા ત્યાં પોતાના ચરણોને પુષ્પનો સ્પર્શ થયો.
જોયું તો- શ્રીરામ નીચે નમી તેમને વંદન કરતા હતા.
તરત જ માતાજીએ તેમને આશીર્વાદ આપી ઉભા કર્યા.
તેમના નયનોમાંથી આનંદના અતીરેક સમી સરવાણીઓ વહી આવી.
અને પુત્રને તેમને ગળે લગાડ્યા.
બોલ્યા- " આજે મારા આનંદની ચરમસીમા છે. બ્રાહ્મણોએ મુહુર્ત જોયું હશે. ક્યારે એ શુભ ઘડી છે પુત્ર? "

શ્રીરામ કંઇક વિચારતા તેમની સામે જોઈ રહ્યા. આટલા આનંદની ઘડીમાં માતાને ક્યા શબ્દોથી પરિસ્થિતિ સમજાવશે ! જેમ તરસ્યા ચાતક- ચાતકી આતુરતાથી શરદ ઋતુના સ્વાતી નક્ષત્રની રાહ જુએ છે, તેવી જ આતુરતા તેમને માતાની આંખોમાં જણાઈ.
માતાજી ફરી બોલ્યા- " અરે ! મેં પણ વિચાર્યું નહિ. તે સવારથી કશું ખાધું નહિ હોય. થોડું જમીને તારા પિતાજી પાસે જા. મોડું થઇ ગયું છે. "

હવે શ્રીરામ માતાને આઘાત ન લાગે તે રીતે સસ્મિત બોલ્યા - " માતા ! મને જે રાજ્ય મળ્યું છે તેની તુલનામાં  આ રાજ્ય તો બહુ નાનું ગણાય. સર્વ પ્રકારે ઉપયોગી અને હિતકારી એવું વનશ્રીનું રાજ્ય પિતાશ્રી પાસેથી મેળવ્યું છે. માતા ! મને પ્રસન્ન ભાવે આજ્ઞા આપો. જેથી મારો વનવાસ મંગલદાયી બની રહે. મનમાં ઓછું આણશો નહિ. અને મારી ચિંતા તો બિલકુલ કરશો જ નહિ. મને ગમતું જ થયું છે. અને ચૌદ વર્ષ તો ક્યાં નીકળી જશે - ખબર પણ નહિ પડે ! પિતાજીનું વચન પાલન કરીને તરત જ આપના ચરણોના દર્શન કરવા આવી પહોચીશ. "

શ્રીરામના લતા-સુકોમલ વચનો પણ સાંભળતા વેત માતાને બાણ સમાન લાગ્યા. શ્રીરામના વચને- વચને માતાનો ચહેરો ફિક્કો પડતો ગયો. આઘાતને લીધે તેમનું હૃદય કોઈ પ્રતિભાવ આપવા સક્ષમ ન રહ્યું. તેઓ સજલ નેત્રે ધ્રુજી ઉઠ્યા. પુત્રનું સ્મિત વદન જોઈ તેમનાથી એટલું જ કહેવાયું -
" પિતાશ્રીને તું પ્રાણ પ્રિય છે. આ રાજ્યાભિષેક પણ તેમની જ ઈચ્છા અનુસાર ગોઠવાયો છે. જયારે એ ઘડી આટલી નિકટ છે, ત્યારે એવું તે શું થઈ ગયું કે-- મને વિગતસર બધું કહે.  "

એટલામાં દ્વાર પાસે ઉભેલા સચીવપુત્ર આવ્યા અને અત થી ઇતિ સુધી બધું માતાને જણાવ્યું.
બધું જાણ્યા બાદ માતા તો સ્તબ્ધ ! ના પુત્રને રોકી શકે, ના તેમને " જાઓ " કહી શકે !
વિધિની ગતિ વક્ર ! - એમ અમસ્તું જ થોડું કહેવાયું છે !

જય સિયારામ..

2 comments:

  1. i think now u r a busy lady, bcz the gap betwn ur 2 posts are widening :)

    very nice narration of Ramayan. It's pleasure to read linguistic scholars like u. keep it up. but i can see u have lost the pace here, the story has been gone into a standstill, not going ahead with a decent speed. isnt it ? maybe ur own reasons.

    ReplyDelete
  2. i dont know whether u r aware of the craze created by the 1987 edition of Ramayan..but for me it's nostalgic. i have never seen such craze of television that created by Ramayan and Mahabharat in 1987-90 era. the all happenings of this country had to go for a standstill for half an hour. miss it very much.



    કૃતિ
    રામાયણની
    સંસ્કૃતિ
    અયોધ્યા નગરની
    સદાય સ્મૃતિ
    પટલ પર છે ગજબની
    અંકિત, એ આવૃતિ
    અલૌકિક, રામાનંદ સાગરની
    ન થશે કદાપિ વિસ્મૃતિ
    રામઅરુણ સીયાદીપિકા યુગલની
    મંગલ ભવન અમંગલ હારી; ગીત
    કર્ણને અતિવ્હાલી કૃતિ
    રવિન્દ્ર જૈન નાં સ્વર સંગીત
    સુરોની થૈ ચમત્કૃતિ
    રામ હનુમાન ની જીત
    દશાનન મૃતિ
    એક સુવર્ણાતીત
    સત્કૃતિ
    કરુ હું નીત
    શ્રૃતિ

    a tribute from me for that mindblowing telecast.

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth