Tuesday, August 2, 2011

આશ્રમ પ્રથમ દિન

જય સીયારામ... 
ગુરુજી સાથે ચારે બાળકો પગપાળા આશ્રમે આવી પહોચ્યા..આશ્રમના પ્રવેશદ્વારે વિટળાયેલી લતાએ તેમના પથમાં કુસુમ ખંખેરીને જાણે તેમનું સ્વાગત કર્યું!!
ચારે બાળકો પણ આ નવા વાતાવરણ ને નિહાળવા લાગ્યા..આશ્રમ કોઈ તપોભૂમિ થી ઓછો ન હતો..
ચારે બાજુ અનેક વ્રુક્ષોથી ઘેરાયેલી નાની-નાની કુટીરો સોહામણી લાગતી હતી..
આશ્રમની એક બાજુ એક મોટું ઘટાદાર વ્રુક્ષ હતું..તેના છાયામાં ચણેલા ઓટલા પર માં સરસ્વતીની પ્રતિમા હતી..
આશ્રમ ની અમુક  સાધ્વીઓ નીર ભરી લાવતી હતી અને બીજી વાછરડાઓને ઘાસ નીરી રહી હતી..
ત્યાં સામેથી  ગુરુમાતા આવતા દેખાયા. ગુરુજી નવા શિષ્યોનો હવાલો તેમને સોપીને બીજી વ્યવસ્થા માં લાગ્યા..
ગુરુમાતા તેમને તેમની કુટીર તરફ લઇજવા લાગ્યા .પરંતુ તળાવમાંથી બહાર આવેલા બતકના બચ્ચાઓ પણ આ નવા અતિથિને જોવામાં તેમના પથમાં રોકાઇ ગયા . આ જોઈ રામજી બોલ્યા," મિત્રો, અમને માર્ગ નહિ આપો કે?" અને ટોળું જાણે તેમની ભાષા સમજતું હોય તેમ ખસી ગયું..
અહી કામધેનુની પુત્રી નંદીની ગાય પણ હતી..તેમના મુક આશિષ પણ ચારેયે લીધા..
આખો દિવસ ક્યાય પસાર થઇ  ગયો..નવા મિત્રોને મળવામાં, આશ્રમના પ્રકૃતિમય વાતાવરણમાં સમયનું ભાન જ ન રહ્યું..બીજા દિવસથી વિદ્યારંભ કરવાનો હતો.
 સાંજ થઇ..બાળકો તેમની કુટિરના પગથીયે બેઠા હતા..
 વનમાં ગયેલી  ગાયોનું ધણ આશ્રમે પાછું ફર્યું..અને સીધું ગમાણમાં જઇ પહોચ્યું..
છુટેલા વાછરડાઓ પોતપોતાની માંને થાને વળગ્યા..આ જોઈ ચારે બાળકોનું મન વિચલિત થઇ ગયું!
આખો દિવસ યાદ ના આવેલી માતાઓની  યાદ હવે આવી..ભરતથી હવે રહેવાયું નહિ! તેની આંખોમાં આંસુ આવી ગયા..રામજીને કહે,"ભાઈ,મને માની બહુ યાદ આવેછે!"
રામજી-"એમની યાદ તો મને પણ આવેછે ભરત!"
સામે જ ગુરુજી ની કુટીર હતી..ગુરુમાતા પણ આ દ્રશ્ય જોતા હતા..પણ બાળકોની આવી નિર્દોષ વાતો સાંભળીને તેમનાથી રહેવાયું નહિ..તે ભરતને છાનો રાખવા જવા લાગ્યા..પણ ગુરુજીએ તેમને રોક્યા.
કહે,"દેવી,આશ્રમે આવતા દરેક બાળકની પહેલી સાંજ આવી જ હોય છે..પણ જે આ એક સાંજને જીરવી જાયછે, તે જ આગળ જતા મોટી મોટી ઉપાધિઓને સંભાળવા સક્ષમ  બને છે .તમે અત્યારે માત્ર જુઓકે બાળકો કેવી રીતે આમાંથી બહાર આવેછે!" અને ગુરુમાતા કચવાતા મને મુક-પ્રેક્ષક બની રહ્યા..
ભરતને બધા ભાઈઓએ સમજાવ્યા પણ તેમની માંને મળવાની ઈચ્છા વધુ બળવત્તર બની..
કહે,"હું તો માતા આગળ જાઉં છું.."
તે અચાનક ઉઠ્યા અને આશ્રમના પ્રવેશદ્વાર તરફ જવા લાગ્યા.. પાછળ ત્રણે ભાઈઓ તેને મનાવવાના પ્રયાસે દોડવા માંડ્યા..
જય સીયારામ..

1 comment:

  1. plz next post jaldi karje,i wanna know what was done with bharat inorder 2 make him live there happily even without MOM.......

    ReplyDelete

Powered By Blogger

Recent Posts

Recent Posts Widget

Save Earth